‘એક પેડ માં કે નામ’ વડાપ્રધાનના મુહિમ સાથે કેશોદ PGVCL ખાતે વૃક્ષારોપણ કરાયું.

કેશોદ

વડાપ્રધાન શ્રી ની મુહિમ અંતર્ગત આજરોજ તા.22-07-24 ના રોજ કેશોદ ની પી જી વી સી એલ વિભાગીય કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં કેશોદ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર શ્રી કે.જે.પટેલ સાહેબના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. સાથે કેશોદ ગ્રામ્ય- 1 પેટા વિભાગ ના નાયબ ઈજનેર શ્રી પી.આર. ગરચર સાહેબ તેમજ વિવિધ કચેરીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)