ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ, જુનાગઢ દ્વારા આયોજિત ફ્રી વેલકમ નવરાત્રી નું આયોજન.

જૂનાગઢ

Advertisement

શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ, જુનાગઢ દ્વારા ફક્ત જ્ઞાતિજનો માટે તા.૨૧/૯/૨૪ ને શનિવારે સાંજે 07:00 થી 12:00 સુધી શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ ની વાડી,મનોરંજન ગેસ્ટ હાઉસ સામે, બીલખા રોડ, જૂનાગઢ ખાતે ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના પ્રમુખશ્રી જયદેવભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ફ્રી વેલકમ નવરાત્રી નું આયોજન કરવામાં આવેલ છે તો સર્વે જ્ઞાતિજનોને આ રાસોત્સવ કાર્યક્રમમા સમયસર પધારવા જણાવવામા આવેલ છે, આ રાસોત્સવ માં સિંગર મયુર દવે, ઓર્કેસ્ટ્રા સ્ટાર હરીઓમ પંચોલી પોતાની સેવાઓ આપશે. તેમજ રાસોત્સવ પૂર્ણ થયા બાદ અલ્પાહાર ની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે તેમ યુવક મંડળના પ્રમુખશ્રી વીરેન્દ્ર જોશી એ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement