કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયો.

જૂનાગઢ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા પી. એમ. કિસાન સન્માનનિધિ યોજનાના ૧૮ માં હપ્તાનું જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ દેશના ખેડૂતોને મહારાષ્ટ્રના વસીમ ખાતેથી ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમ કેવિકે ખાતે ૩૫ બહેનો અને ૨૫ ભાઈઓએ નિહાળ્યો હતો. સાથે-સાથે કેવિકેના વિષય નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત ખેડૂત ભાઈઓએ તથા બહેનોએ પ્રાકૃતિક કૃષિ તથા ઘર આંગણે શાકભાજીના બગીચા જેવા અગત્યના વિષય પર માહિતી આપવામાં આવેલ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)