કેશોદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

કેશોદ

રાજકારણની દુનિયામાં પોતાની વ્યૂહરચનાઓને કારણે ચાણક્ય તરીકે ઓળખાતા એવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 60મો જન્મદિવસ છે. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. કેશોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે દીર્ઘાયુ માટે હોમાત્મક યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના ઝુંપડપટ્ટી વિસ્તારમાં કપડાં અને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી અને સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્ય માન કાર્ડ વિતરણ કાર્યક્રમ ત્થા ૧૦૮ ના હેલ્થ વર્કર સહિત ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલ કેશોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરો નો ઉત્સાહ વધાર્યો હતો.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)