કેશોદ તાલુકાના અગતરાઈ ગામના નિવૃત શિક્ષક દ્વારા કુમાર શાળા ને રોકડ દાન આપ્યું.

કેશોદ

અગતરાય ગામના રહેવાસી અને નિવૃત શિક્ષક શ્રી વલ્લભભાઈ છગનભાઈ ધોડાસરા એ અગતરાય કુમાર પે સેન્ટર શાળા ની શૈક્ષણિક અને ભૌતિક વિકાસ ની કામગીરી ની પ્રશંસા કરી શાળા ના વિકાસમાં રૂ.10000( દસ હજાર) રોક્ડ સ્વરૂપે દાન આપી ગામનું અને શિક્ષક તરીકેનું ઋણ અદા કરેલ છે. આ દાન શ્રી દેવાભાઈ ખાંભલા ની હાજરી માં નિવૃત શિક્ષક શ્રી વલ્લભભાઈ છગનભાઈ ઘોડાસરા એ આચાર્ય શ્રી સેતા સાહેબ ને અર્પણ કરેલ છે.

દાન આપવા બદલ નિવૃત શિક્ષક શ્રી વલ્લભભાઈ છગનભાઈ ઘોડાસરા નો દેવાભાઈ ખાંભલા અને કુમાર પે સેન્ટર શાળા ના આચાર્ય શ્રી સેતા સાહેબે આભાર વ્યક્ત કર્યો છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)