કેશોદ નગરપાલિકા કચેરી દ્વારા આજરોજ રાજમહેલ પ્રાથમિક શાળામાં બાળકો માં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા ના કેશોદ રાજમહેલ પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા અભિયાન જાગૃતિ કાર્યક્રમ આધારિત નાટક તથા ગીતો રજૂ કર્યા તેમને પ્રોત્સાહિત કરવા માટે ચીફ ઓફિસર શ્રી વાઘેલા સાહેબ દ્વારા તથા આરોગ્ય શાખા દ્વારા બાળકોને આકર્ષક ઇનામો આપી બિરદાવવામાં આવ્યા શ્રી વાઘેલા સાહેબે બાળકોને સ્વચ્છતા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગને રોકી પર્યાવરણ ની જાળવણી માટે આપણે શું શું કરી શકીએ તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી બાળકોને એસટીપી સાઈટ ની મુલાકાત લઇ પર્યાવરણ જાગૃતતા માટે લેવાતા પગલાંઓની જાણકારી આપી મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ આપ્યું રાજમહેલ શાળાના આચાર્યશ્રી ચેતન ભાઈ રાજાએ અધિકારી સાહેબનો શાળાની મુલાકાત બદલ આભાર માન્યો

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)