કેશોદ હિન્દુ સ્મશાન ખાતે મૃતાત્માઓના અસ્થિનું વિસર્જન પહેલાં પુજા અર્ચના કરવામાં આવશે.

કેશોદ

માનવ સેવા સમાજ ટ્રસ્ટ કેશોદ દ્વ્રારા છેલ્લા પચ્ચીસ વર્ષથી વર્ષમાં બે વખત મૃતાત્માઓના અસ્થિનું હરિદ્વાર ખાતે ગંગાજી મા પીડદાન કરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવે છે. કેશોદ તથા આજુબાજુ ના વિસ્તાર માંથી સ્વજનો ના અસ્થિ એકઠા કરી હરિદ્વાર મુકામે માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં સ્વખર્ચ ભુદેવો ની હાજરીમાં ધાર્મિક વિધિ થી આ અસ્થિઓ વિસર્જન કરવા માં આવે છે. તારીખ ૧૩/૯/૨૦૨૪ શુક્રવાર ના રોજ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે કેશોદ સ્મશાન ખાતે સ્વજનો ની હાજરીમાં છ માસમાં એકત્રિત થયેલાં અસ્થિઓ ને ફુલહાર કરીને હરિદ્વાર ગંગાજીમાં વિસર્જન કરવા અંતિમ વિદાય આપવા માં આવશે. કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં છ માસમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓના સ્વજનો પરિવારજનો ને પધારવા જણાવ્યું છે.

અહેવાલ :–રાવલિયા મધુ (કેશોદ)