ખેડબ્રહ્મા અંબિકા માતાજીને આસો સુદ આઠમના રોજ ₹/-૧,૬૨,૦૦૦ ના આભૂષણો કરાશે અર્પણ.

સાબરકાંઠા

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજી મંદિર ખાતે માઈભક્તો દ્વારા પોતાની માનતા પરીપૂર્ણ થતાં દાન દક્ષિણા રૂપે માનતા પૂર્ણ કરતા હોય છે તેવા સમયે થોડાક દિવસો પહેલા આવા દાનમાંથી ૬૬૦.૪૩ ગ્રામનો (રૂપિયા -૫૩,૧૨,૫૭૨)નો સુવર્ણ મુગુટ માતાજીને મંદિર પ્રશાસન તરફથી અર્પણ કરવામાં આવ્યો હતો. આમ નવલી નવરાત્રીમાં માતાજીને સુવર્ણ મુગુટ બાદ આસો સુદ આઠમના રોજ મંદિર પ્રશાસન તરફથી માતાજીને ૧.૦૫૩ કિલો ગ્રામ ચાંદીનો મુગુટ, હાર અને કુંડળ અર્પણ કરવામાં આવશે, જેની કિંમત ₹- ૧,૬૨,૦૦૦/- થવા જાય છે. આમ માઈભક્તોમાં અંબિકા માતાજી પ્રત્યેનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)