ગીર સોમનાથ:
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ સૂત્રાપાડા તાલુકાના ધામળેજ, સિંગસર, લોઢવા અને ઉના તાલુકાના સુલતાનપુર, કાણકબરડા, અમોદ્રા આ ૬ ગામોમાં કૃષિરથ દ્વારા કૃષિલક્ષી માહિતી પ્રસારિત કરવામાં આવી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિકો, આઈ.સી.એ.આર.ના નિષ્ણાતો, ખેતીવાડી અને બાગાયત ક્ષેત્રના તેમજ આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ સાથે એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓએ ખેડૂતો અને ખેડૂત મહિલાઓને ખેતીની નવીનતમ ટેકનીકો અને દિશા વિશે માર્ગદર્શન આપ્યું.
ડ્રોન ટેક્નોલોજી અને પ્રાકૃતિક ખેતી વિશે વિશેષ પ્રદર્શન સાથે આગામી ચોમાસા માટે ખેતીની યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કુલ ૬ ગામોના ૪૨૫થી વધુ ખેડૂતોએ આ કાર્યક્રમમાં ભાગ લઈને કૃષિ વિજ્ઞાનના નવીનતમ અભિગમ વિશે જાણકારી મેળવી ખેતીમાં સુધારો લાવવાનો મનોબળ વધાર્યો હતો.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ