
આંકોલવાડી, જૂનાગઢ – 6 મે 2025:
અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને ચાંપરડા આશ્રમના પooj્ય મહંત મુક્તાનંદબાપુના 67મા પ્રાગટ્ય દિન નિમિતે આંકોલવાડી ગીર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાભીની સેવાકીય પ્રવૃત્તિમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા.
કેમ્પમાં આંકોલવાડી કન્યા શાળાના યુવા શિક્ષક નિશાંત મહેતાએ સ્વયં રક્તદાન કરીને ઉદાહરણરૂપ ભૂમિકા નિભાવી હતી. તેમણે કહ્યું કે, “રક્તદાન એ મહાન દાન છે અને આપણું થોડી ક્ષણોની તૈયારી કોઈના માટે આખી જિંદગીનો સંસાર બની શકે છે.” તેમના દ્વારા કરવામાં આવેલ રક્તદાન અન્ય લોકોને પણ આ કાર્ય માટે પ્રેરણા પૂરું પાડે એ આશા વ્યક્ત કરવામાં આવી.
આ રક્તદાન કેમ્પ પવિત્ર પ્રસંગે મુક્તાનંદબાપુની આધ્યાત્મિક અને માનવસેવા પરંપરાનું પ્રતિબિંબ જણાતું હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ