કેશોદ તાલુકાના છેવાડા નું ગામ ડેરવાણ ખાતે છાયાળ કૃપા ટ્રસ્ટ અને બકોતરા પરિવાર ના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા : 21-2-2025 ના રોજ વીર આહીર પૂજ્ય ભારા બાપા ની પુણ્ય તિથિ નિમિતે મહા રક્ત દાન કેમ્પ તેમજ ગુજરાત આહીર સમાજ ના પ્રમુખ તેમજ પૂર્વ કેબિનેટ મિનિષ્ટર , આહીર સમાજ ના ભામાશા જવાહર ભાઈ પેથલજી ભાઈ ચાવડા ની રક્ત તુલા તેમજ છાયાળ કૃપા ભવન નો શિલાન્યાસ પ્રસંગ તેમજ બકોત્રા પરિવાર ના સુરાપુરા શ્રી વીર આહીર ભારા બાપા ના બલિદાન ને સાર્થક કરતો વિશેષ પ્રસંગ યોજાયો હતો જેમાં તમામ આહીર સમાજ તેમજ ડેરવાણ સમસ્ત ગામ અને આવનાર લોકો તરફ થી આ કાર્યક્રમ મા રક્ત દાન કરેલ હતું
કાર્યક્રમ પૂર્વે માહાનુભાવો અને આતિથી જવાહર ચાવડા દ્વારા દીપ પ્રજ્વલ્લિત કરી કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવેલ હતો
બાદ આવનાર તમામ મહેમાનો નું સ્વાગત સન્માન
છાયળ કૃપા ભવન શિલાન્યાસ અતિથિ જવાહર ચાવડા દ્વારા બાદ જવાહર ચાવડા નું સમાજ અનુલક્ષી વક્તવ્ય બાદ રક્ત તુલા બાદ સમૂહ મહા પ્રસાદ સૌ આવનાર મહેમાનો એ લીધેલ હતો, ડેરવાણ ખાતે આજરોજ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ માં 332 જેટલી બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવેલ હતી
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)