જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા કલેકટર કચેરીના ખાતે જિલ્લા મળેલી સંકલન આ બેઠકમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર એ જનપ્રતિનિધિ ઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં.
આ બેઠકમાં દબાણ,જમીન, વિકાસલક્ષી કામો, માર્ગ અને મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.
આ બેઠક બાદ દિશા કમિટી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં જુદી-જુદી સરકારી યોજનાઓ અંગે જિલ્લામાં થતી કામગીરીની માહિતીની મેળવી સમીક્ષા હાથ ધરી હતી. આ સંદર્ભમાં સંલગ્ન અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન , નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, સહિતના સંલગ્ન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ