જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદર વિસ્તારમાં આવેલ શ્રી પરમેશ વિદ્યાલય ખાતે સ્કૂલ સેફ્ટી સેમીનારનું આયોજન કરાયું.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી તથા એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા માંગરોળ બંદર વિસ્તારમાં આવેલ શ્રી પરમેશ વિદ્યાલય ખાતે” Community Awareness” પ્રોગામ અંતર્ગત ” School Sefty Seminar” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૬ થી ધો.૧૨ સુધીના અંદાજીત ૪૦૦ વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફએ ભાગ લીધો. ૩ કલાકના સેમીનારમાં એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા કુદરતી કે માનવસર્જીત આપતીઓ સમયે બચાવની કાર્યવાહી કઇ રીતે કરવી તે અંગેની વિસ્તૃત માહિતી આપવવામાં આવી.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)