જુનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રવિવારે ૩૯ માં સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે !

આ સમૂહ લગ્નમાં બે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સહિતની ૨૫ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે, જુનાગઢ એટલે નરસૈયાની નગરી જ્યાં ભજન, ભોજન અને હરિહરનો નાદ સંભળાય છે ૩૩ કોટી દેવતાઓની તપની ભૂમિ જ્યાં ડાલામથા સિંહની ડણકો પણ સંભળાય છે અને ગરવા ગિરનાર પર “માં ભગવતી અંબા” ના બેસણા છે આવી પવિત્ર ભૂમિ પર ગુજરાતના સીમાડા વટાવી અને વિદેશમાં પણ જેની સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લેવાય છે જે હંમેશા દાતાઓના સહકાર થાકી હોય છે,

જૂનાગઢમાં આ સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આગામી તા ૯ ફેબૃ. ને રવિવારના રોજ ભવનાથ ક્ષેત્રમાં સનાતન હિંદુ ધર્મશાળામાં બે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સહિત કુલ ૨૫ દીકરીઓના સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, હાલ આ પ્રસંગને દીપાવવા માટે તળામાર તૈયારી ચાલી રહી છે. આ સંસ્થા છેલ્લા ૪૨ વર્ષથી સેવાકીય ક્ષેત્રે ખૂબ જ સારું કામ કરે છે. આજે માનવસેવા નો પયાૅય એટલે સત્યમ સેવા યુવક મંડળ ગણાય છે. જેના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા અને તેની પૂરી ટીમ નવ લોહિયા યુવાન પણ ન કરી શકે તેવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. જેમાં કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર આ પ્રવૃત્તિઓ કરવામાં આવે છ,

આ લગ્નમાં દીકરીઓને દાતાઓના સહકારથી ભરપેટે ૧૦૦ થી પણ વધુ કરિયાવરની વસ્તુઓ આપીને પ્રભુતાના પગલા પાડશે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૦૦૦ જેટલી દીકરીઓને કરિયાવર આપી સાસરે વળાવેલ છે. કોરોના સંક્રમણ વખતે પણ એવી જ અનેરી સેવાકીય પ્રવૃત્તિ કરેલ હતી. આ સમૂહ લગ્નમાં આશીૅવચન માટે પૂજ્ય શ્રી શેરનાથબાપુ, પૂજ્ય શ્રી મુક્તાનંદબાપુ, પૂજ્ય શ્રી રામ મનોહર દાસજી વિગેરે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કમિશનર શ્રી ડો.ઓમ પ્રકાશ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, શ્રી હર્ષદભાઈ મહેતા, ડી વાય એસ પી શ્રી હિતેશભાઈ ધાંધલીયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, કિરીટભાઈ રાણીંગા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

    સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ માં છેલ્લા ૪૨ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓની વણજાર સાથે પોતાનું માનવસેવા એ જ પ્રભુ સેવા ના મંત્ર સાથે ઉત્તરદાયિત્વ નિભાવે છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે ભોજન, ચા, પાણી, નાસ્તો ,દરરોજ ગાયનેક વિભાગમા પ્રસૂતા બહેનો માટે ચોખા ઘી નો સીરો  વિગેરે દરિદ્ર નારાયણની સેવારૂપ યજ્ઞ ચલાવે છે. તેમજ સંસ્થાના મકાનમાં કોમ્પ્યુટર વર્ક, સીવણ વર્ગ, વિદ્યાર્થીઓને દર વર્ષે સસ્તા દરે નોટબુક વિતરણ, પાણીનું પરબ, ઉનાળામાં છાશ વિતરણ કેન્દ્ર, દર વર્ષે સર્વજ્ઞાતિય વિદ્યાર્થી સન્માન સમારોહ, અંધ દીકરીઓના ઉત્કર્ષ માટેની વિવિધ હરીફાઈઓ યોજવી, પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની સંસ્થા ચલાવવી ઉપરાંત વૃદ્ધાશ્રમ ચલાવવા, દર મહિને જરૂરિયાતમંદ, વિધવા ત્યક્તા ઓને અનાજ કિટ નું વિતરણ આવી અનેક પ્રકારની સેવાકીય અખંડ જ્યોત સમી  પ્રવૃત્તિઓની વણજાર આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. 

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૯ માં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ છે. આ માંગલિક સમૂહ લગ્ન ના પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, મનીષભાઈ લોઢીયા, મુકેશગીરી મેઘનાથી, બટુક બાપુ, કે કે ગોસાઈ, ચંપકભાઈ જેઠવા, મનહરસિંહ ઝાલા, પ્રવીણભાઈ જોશી, રાજેન્દ્રભાઈ ચુડાસમા, દયાબેન માણેક, જયાબેન પરમાર, સરોજબેન જોષી, મનોજભાઈ સાવલિયા, મનોજભાઈ રાજા વિગેરે સેવાભાવીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)