જૂનાગઢના ભવનાથમાં કાશ્મીરી બાપુના આશ્રમમાં ગુરૂપૂર્ણિમા ઉજવાશે.

જૂનાગઢ

જૂનાગઢના ભવનાથમાં આવેલા આમકુ દાતારેશ્વર મહાદેવ મંદિર (કાશ્મીરી બાપુ આશ્રમ) ખાતે તા.૨૧/૭/૨૦૨૪ ને રવિવારે ગુરૂપૂર્ણિમાં પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ અંગે ભવનાથ સ્થિત આમકુ ખાતે દાતારેશ્વર મહાદેવ આશ્રમના મહંત 1008 નમૅદાપુરી માતાજી એ જણાવ્યું છે કે, 21 જૂલાઈ- રવિવારે દાતારેશ્વર મહાદેવ આશ્રમમાં ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે સવારે અમારા બ્રહ્મલીન ગુરૂ કાશ્મીરી બાપુની સમાધીનું પૂજન કરવામાં આવશે, બાદમાં બપોરના ભાવિકો માટે ભોજન – પ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે સંતવાણી – ભજન સંધ્યાનો કાર્યક્રમ રજૂ થશે.

ગુરૂપૂર્ણિમાની ઉજવણીના પાવન પ્રસંગે ભાવિકોને બ્રહ્મલીન ગુરૂ કાશ્મીરી બાપુની સમાધીના પૂજન, ભજન, ભોજન અને ભક્તિનો લાભ લેવા દ્વારા મહંત શ્રી 1008 શ્રી નમૅદાપુરી માતાજી ગુરૂ શ્રી કાશ્મીરી બાપુ દ્રારા તથા સેવકગણ દ્રારા હાદિક નિમંત્રણ પાઠવામા આવેલ છે.
તેમજ ભવનાથ ક્ષેત્ર ના તમામ આશ્રમો જેવા કે ગોરક્ષ નાથ આશ્રમ માં પણ પૂ.શેરનાથ બાપુ ને ત્યાં પણ ભક્તો ની એટલી જ ભીડ જોવા મળે છે ત્યારે ભારતી આશ્રમ ખાતે પણ એટલા જ ભક્તો અને અનુયાયી ઓ અને સાધુ સંતો બહોળી સંખ્યા માં ગુરુ પૂનમ પર ભવનાથ માં જોવા મળશે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)