જૂનાગઢના મધુરમ વિસ્તાર તથા વાડલા રોડ ઉપર ઝુંપડા માં રહેતા પરિવારો ને બિલનાથ અન્નક્ષેત્ર દ્વારા ભોજન પ્રસાદ વિતરણ કરાયું.

જૂનાગઢ

તાજેતરમાં અતિ ભારે વરસાદના કારણે જૂનાગઢના મધુરમ વિસ્તાર તથા વાડલા રોડ ઉપર ઝુંપડામાં રહેતા પરિવારો ને ભોજન ની મુશ્કેલી હોવાનું બીલનાથ અન્નક્ષેત્ર, જૂનાગઢ ના સંચાલકશ્રી ચંદુભાઈ ને મળતા, તૈઓ સેવકો શ્રી પંડ્યાભાઈ, હેમંતભાઈ અને ધીરૂભાઈ ની ટીમ દ્વારા ચાંપરડા ના સંતશ્રી મુકતાનંદ બાપુ ના આશીર્વાદ થી છેલ્લા પાંચ દિવસથી અસરગ્રસ્તોને ભોજન કરાવી સેવા કાર્ય કરી રહ્યા છે.

વધુમાં પૂ.મુકતાનંદ બાપુ ના આશીર્વાદ થી બિલનાથ મહાદેવ મંદિર, વંથલી રોડ, જૂનાગઢ ખાતે અવિરત અન્નક્ષેત્ર ચાલુ છે તેમાં હાલમાં સાતમ આઠમ ના તહેવારો નિમિત્તે મિષ્ટાન તથા ફરાળ ની વ્યવસ્થા કરવામાં આવી હતી, આ અન્નક્ષેત્ર માં ૪૦૦ વ્યક્તિઓ સવાર સાંજ નિ:શુલ્ક ભોજન પ્રસાદી નો દરરોજ લાભ લઈ રહ્યા છે તેમ સેવક શ્રી ચંદુભાઈ એ જણાવ્યું છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)