જૂનાગઢ જિલ્લાનાં રોજગાર વાંચ્છુ યુવાનો માટે રોજગાર ભરતી મેળો.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ દાવત બેવરેજીસ પ્રા.લી. ગોંડલ તથા બોમ્બે ઓર્થો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. મેટોડા રાજકોટ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ કેમીસ્ટ (ETP/ WPT/ LINE અને પેકિંગ મટીરીયલ), માઇક્રોબાયોલોજીસ્ટ/ સેન્સરી લેબ/ પેસ્ટ કંન્ટ્રોલ અને GMP, ક્યુ.એ./ક્યુ.સી. ઓફિસર તથા લેબ ટેકનીસીયન ની જગ્યાઓ માટે ૨૦ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ બી.એસસી. (કેમીસ્ટ્રી/ ફૂડ ટેકનોલોજી/ બાયોટેકકનોલોજી / માઇક્રોબાયોલોજી, બિ.ટેક ઇન કેમીકલ /ફુડ ટેકકનોલોજી, બી.ઈ. કે બી.ફાર્મ. સ્નાતક કે અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા.૨૭/૦૯/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.

પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)