જૂનાગઢ ના રંગ રસાયણના ઉધોગપતિશ્રી વસંતરાય આણંદજી ઓઝા ની પ્રથમ પુણ્યતિથિ એ સ્મરણાંજલિ કાર્યક્રમ જૂનાગઢમાં યોજાય ગયો.

જૂનાગઢ

જૂનાગઢના રંગ રસાયણના ઉધોગપતિશ્રી વસંતરાય આણંદજી ઓઝા તા.૧૫/૧૦/૨૦૨૩ ના રોજ અક્ષર નિવાસી થયેલ ત્યારથી તેમની પાછળ તેમના વરિષ્ઠ પુત્ર શ્રી હરીશભાઈ એ દરેક માસીક પુણ્યતિથિ એ વિવિધ ભજન સંધ્યા, બેઠા ગરબા, હવેલી સંગીત, સુંદરકાંડ ના પાઠ, ગીતાજી નાં પાઠ, વિગેરે સત્સંગ કાર્યક્રમ યોજી ભાવાંજલિ અર્પણ કર્યા બાદ તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ શ્રી વસંતભાઈ ની વાર્ષિક પૂણ્યતિથિ એ શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ વાડી, ગાંધીગ્રામ,જૂનાગઢ ખાતે ગુણાનુવાદ- સ્મરણાંજલિનો શ્રી પીયુષ દવે ગૃપ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ તથા ગિરિવર ગિરનારની દુહિતા અને જાણીતા વક્તા કુ.રાધા રાજીવ મહેતા નો “ગીતાજી ને જીવી જાણ્યા” ઉપર વક્તવ્ય નો કાર્યક્રમ રાખવામાં આવેલ તેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો તથા મહેમાનો તેમજ શહેરના નામાંકિત ડોક્ટરો, આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે શ્રી વસંતભાઈ ઓઝા ના કૌટુંબિક ભત્રીજા અને શહેરનાઅગ્રણીશ્રીશશીકાંતભાઈ દવે એ શ્રી વસંતભાઈ ઓઝા પરિવાર અંગે ની સંપૂર્ણ વિગતો રજુ કરી શ્રધ્ધાંજલી અર્પી હતી .જ્યારે શ્રી હરીશભાઈ ઓઝા એ તેમના પૂજ્ય બાપુજી ના સંસ્મરણો તાજા કર્યા હતા

ઉપસ્થિત સૌ માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ હતું, ઉપરાંતમાં શ્રી હરીશભાઈ ઓઝા એ ઉપસ્થિત સૌને ઘર દીઠ સ્વ.શ્રી વસંતભાઈ ઓઝા ની યાદગીરી માટે સ્ટીલની હાન્ડી લાણી/ભેટ સ્વરૂપે આપી હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં વાડીમાં અપડેટ કરેલ ઓટોમેટિક ડોર વાળી લીફટનુ ઉદ્ધાટન શ્રી હરીશભાઈ ઓઝા ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન જૂનાગઢના જાણીતા સમાચાર વાંચકશ્રી સંજીવભાઈ મહેતા એ કર્યું હતું. આભાર વીધી શ્રી હરીશભાઈ ઓઝા કરી હતી

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)