મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરમાં આવેલ ભવનાથમાં મહાવીર ગેસ્ટ હાઉસ દ્વારા મહાનગર પાલિકા,જુનાગઢની કોઈપણ જાતની મંજૂરી વગર પોતાના ગેસ્ટ હાઉસ બહાર મ.ન.પા માલિકીની જગ્યામાં જાહેરાત બોર્ડ ટ્રાફિકને અડચણરૂપ પ્રદર્શિત કરવામાં આવેલ. જે અન્વયે માન.કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશ(IAS)ના આદેશ અન્વયે માન.નાયબ કમિશનરશ્રી ડી.જે.જાડેજાની સુચના થી આસી.કમિશનર(ટેક્સ) કે.જી. ટોલીયાના માર્ગદર્શન નીચે ટેક્સ સુપ્રીટેન્ડન્ટ મનોજ રૂપાપરાની ટીમ દ્વારા સ્થળ ઉપર જ તા.૦૫/૦૨/૨૦૨૫ ના રોજ રૂ.૫,૦૦૦/- નો દંડની વસૂલાત કરવામાં આવેલ અને આ જાહેરાત બોર્ડ નો કબ્જો લેવામાં આવેલ તેમજ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય તેવી લેખિત બાહેધરી પણ લેવામાં આવેલ છે, વધુમાં જણાવવાનું કે મહાનગરપાલિકા, જુનાગઢની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર આવી પ્રવૃતિ ન કરવા એક યાદીમાં જણાવવામાં આવે છે .
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)