જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ઘાસચારો વેચતા ઇસમ પર કાયદેસરની કાર્યવાહી.

જૂનાગઢ

Advertisement

મહાનગર પાલિકા, જૂનાગઢના કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ નાયબ કમિશ્નરશ્રી એ.એસ. ઝાંપડા અને આસી.કમિશ્નર (વ)શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા માટે જુનાગઢ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસરશ્રી એચ.કે.ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપર વાઈઝરશ્રી રાજેશભાઈ પરમારના સુપરવિજન હેઠળ તા.૧૯/૦૯/૨૦૨૪ના રોજ શહેરમાંથી ૨૦(વીસ) ગૌવંશ પકડવામાં આવ્યા અને ૧૮ (અઢાર) ગૌવંશને સરકારશ્રીની ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અન્ય ગૌ શાળામાં મોકલવામાં આવ્યા તેમજ ગિરનાર દરવાજા પાસે જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમ પર જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરી ઘાસચારો તથા રેકડી જપ્ત કરવામાં આવી હતી.આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી કાર્યરત રહેશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement