જેતપુરના નજીક ટ્રેન અડફેટે તરુણ નું મોત.

જેતપુર

Advertisement

જેતપુર શહેરના સામાકાઠા વિસ્તાર તરુણ ટ્રેન અડફેટે આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. રાજકોટ થી પોરબંદર જતી ટ્રેન અડફેટે 10 વર્ષીય તરુણ ટ્રેન હડફેટે આવી જતા મોત નિપજ્યું હતુ.

મળતી માહિતી પ્રમાણે જેતપુર નજીક આવેલાં નવાગઢ રેલવે પુલ પાસે આજે સવારે રાજકોટ થી પોરબંદર જઈ રહેલ અને નવાગઢ નજીકથી પસાર થઈ રહેલ ટ્રેન હડફેટે આવી જતા તરુણનું મોત નિપજ્યું હતું આ બનાવની જાણ થતાંની સાથે જ રેલવે પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવમાં શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા શિવમ્ જેન્તીભાઇ રાઠોડ ઉ.વ.10 નામનો તરુણ પોતાની ઘરે દૂધ લેવા જાઉં છું તેવું કહી નીકળ્યો.પરિવારમાં શોક છવાયો હતો. પરંતુ આ બનાવ કેવી રીતે બન્યો તે બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)

Advertisement