
📍 સ્થાન: વડોદરા
📅 તારીખ: 22 એપ્રિલ, 2025
✍️ અહેવાલ: હર્ષ પટેલ, વડોદરા
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીય પર્યટકોના નિધનના વિરોધમાં આજે વડોદરામાં વ્યાપારિક બંધનો એલાન આપવામાં આવ્યું હતું.
વડોદરાના ચાર દરવાજા, મંગળ બજાર, વાસણ બજાર, મુનશી ખાંચા, કલા મંદિર ખાંચા, પદ્માવતી શોપિંગ સેન્ટર અને આસપાસના વિસ્તારોમાં વેપારીઓએ પોતે સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વેપારી અગ્રણીઓએ શું કહ્યું:
- મંગળ બજાર વેપારી એસોસિયેશનના આગેવાન જય ઠાકોરે જણાવ્યું કે, “પહેલગામ હુમલાનો નિંદનીય વિરોધ કરતાં આજે વેપારીઓએ એકસાથે બંધ પાળ્યો છે. જો વડાપ્રધાન મોદી પાકિસ્તાન સામે જંગનું એલાન કરે, તો આપણે ખભે ખભો મિલાવીને તેમનો સાથ આપીશું.“
- વેપારી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ દુઃખદ ઘટના સામે વિરોધ દર્શાવવા માટે આવતીકાલે પણ સ્વૈચ્છિક બંધનું સમર્થન આપ્યું છે.“
વિશેષ માહિતી:
આ બંધમાં વ્યાપક સંખ્યામાં વેપારીઓએ ભાગ લીધો હતો અને શહીદોના આત્માને શાંતિ મળે તે માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.