બેંગલોર થી 43000 કિલો મિટર ની ટુ વિલ પર યાત્રા કરી જૂનાગઢ ભવનાથ ખાતે પહોંચ્યા..

જૂનાગઢ

બેંગ્લોર થી ટુ વ્હીલ પર આખા દેશ ભ્રમણ પર નીકળેલ દિવાકર રેડી નામનો યુવક 43000 કિલોમીટર ટુ વ્હીલ ની યાત્રા કરી ને આજે શ્રી ભૂતનાથ મંદિરે આવી પહોંચ્યો હતો.મંદિર ના મહંત શ્રીમહેશગીરી બાપુ એ જૂનાગઢ ના નગરદેવતા ભૂતનાથ દાદા ના સાનિધ્ય માં જૂનાગઢ શહેર ના લોકોવતી દિવાકર ને એમના સાહસ અને વિચારધારા માટે અભિનંદન આપ્યા અને સન્માનિત કર્યા.

દિવાકર જૂનાગઢ થી સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ માર્ગે થી રાજસ્થાન જશે એવું જણાવ્યું હતું.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)