ભાવનગર શહેરની માજીરાજ બા કન્યા વિદ્યાલય ખાતે આજે સવારે માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવા ટ્રાફિક સેમિનાર યોજાયો.
કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રિન્સિપાલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરીને કરવામાં આવી. ત્યારબાદ ભાવનગર સીટી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. કટારીયા મંચ પર આવ્યા અને ઉત્સાહપૂર્વક હાજર વિદ્યાર્થીઓને સંબોધ્યા. તેમણે રોજિંદા જીવનમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો અને કહ્યું:
“માર્ગ અકસ્માતો કોઈપણ ક્ષણે બની શકે છે, પરંતુ યોગ્ય સાવચેતી અને નિયમોનું પાલન કરીને આપણે આપણા જીવનને સુરક્ષિત રાખી શકીએ છીએ.”
ત્યારબાદ ટ્રાફિક ટ્રેનર ડૉ. અજયસિંહ જાડેજાએ ખૂબ જ રસપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. સ્લાઈડ્સ અને ચિત્રોના માધ્યમથી તેમણે અકસ્માતોનું કારણ — કેવી રીતે થાય છે, ક્યાં થાય છે, કેમ થાય છે અને તેમને કેવી રીતે અટકાવી શકાય — તેની વિગતવાર સમજ આપી.
તેમણે ખાસ કરીને હેલ્મેટનો ઉપયોગ, સીટબેલ્ટ બાંધવી, સ્પીડ લિમિટનું પાલન, મોબાઇલનો ઉપયોગ ન કરવો અને પાદચારીઓ માટેના નિયમો જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો.
સેમિનાર દરમ્યાન કેટલાક વાસ્તવિક અકસ્માતોના ઉદાહરણો આપીને તેમણે વિદ્યાર્થીઓમાં સંવેદના અને સાવચેતી બંનેનો સંદેશ પહોંચાડ્યો. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પુછીને માર્ગ સુરક્ષા અંગે પોતાની શંકાઓ દૂર કરી.
કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સિપાલે બંને મહેમાનોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આવાં જાગૃતિ કાર્યક્રમો માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ તેમના પરિવાર અને સમગ્ર સમાજ માટે પણ લાભદાયી સાબિત થાય છે.
સેમિનારમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલા 5 મુખ્ય સંદેશા:
હંમેશા ટ્રાફિક સિગ્નલ અને નિયમોનું પાલન કરો.
બાઈક ચલાવતા હેલ્મેટ અને કાર ચલાવતા સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ કરો.
ડ્રાઇવિંગ દરમ્યાન મોબાઇલનો ઉપયોગ ન કરો.
ઝડપ મર્યાદા (Speed Limit)નું પાલન કરો.
પાદચારીઓ અને વડીલોને માર્ગ ક્રોસ કરવા પ્રાથમિકતા આપો.
અહેવાલ: સતાર મેતર, સિહોર