રોટરી ક્લબ ઑફ કેશોદ અને સરદાર પટેલ સાહિત્ય પરિષદ ગ્રુપ આયોજિત“ભવ્ય કવિ સંમેલન : મહેફિલ-એ-મુશાયરા”

કેશોદ

રોટરી ક્લબ ઑફ કેશોદ અને સરદાર પટેલ સાહિત્ય પરિષદ ગ્રુપ તથા કવિશ્રી પ્રવીણ વાછાણી દ્વારા કેશોદના સાહિત્ય પ્રેમીઓની હાજરીમાં તા. 15 સપ્ટેમ્બર, 2024, રવિવારે, અક્ષય અન્ન ક્ષેત્ર, કેશોદ મુકામે ગાંધીનગરના અધિક કલેકટર માનનીય કવિ અને લેખક શ્રી રવજીભાઇ ગાબાણીના અધ્યક્ષ સ્થાને અને “વિઠ્ઠલ તીડી” વેબ સીરીઝના લેખક અને કવિશ્રી મુકેશભાઇ સોજીત્રાના અતિથિ વિશેષ પદે તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી અરવિંદભાઇ લાડાણી ની હાજરીમાં “ભવ્ય કવિ સંમેલન : મહેફિલ-એ-મુશાયરા” નું આયોજન કરવામાં આવેલ.

જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટે. જીતેન્દ્ર પટેલ અને કવિશ્રી જયપ્રકાશ સંતોકી દ્વારા કરવામાં આવ્યું. ગુજરાતના જુદા જુદા શહેરના કવિ મિત્રો સતિષ સખિયા, પ્રવીણ વાછાણી “દિલેર”, જયપ્રકાશ સંતોકી “જય”, સવસાણી ઊર્મિલા, સરલાબેન સુતરિયા, કલ્પેશ રામાનુજ, ધર્મેશ વેકરિયા, નિતેશ ટાંક, શીતલ માલાણી, સુનિલ કઠવાડિયા, મોવલિયા ભુમીત, મુકેશ સોજીત્રા, એમિશભાઈ પટેલ, બિનલ પટેલ, લક્ષ્મણ તરપદા, પ્રવિણા સખિયા, નિલેશ બગથરિયા, ચિરાગ ચાવડા, ડો.નરેશ ભંડેરી, હસમુખ મકડીયા, અને શિરીન કણસાગરા દ્વારા પોતાની કવિતાઓનું રસપાન કરાવ્યુ. કવિ સમ્મેલનને સફળ બનાવવામાં પ્રોજેકટ ચેર જીતેન્દ્ર પટેલ, પ્રેસિડેન્ટશ્રી ભૂપતભાઇ વાજા, સેક્રેટરીશ્રી રમેશભાઈ વામજા અને ચાર્ટર્ડ પ્રેસિડેન્ટશ્રી હિતેશભાઇ ચનિયારા, શ્રી કિરીટભાઇ ત્રાંબડિયા, શ્રી હિતેષભાઇ રામોલીયા તેમજ સરદાર પટેલ સાહિત્ય પરિષદ ગ્રુપના કવિશ્રી પ્રવીણ વાછાણી અને સતિશભાઈ સખીયા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)