શિવયોગી આશ્રમ ડેરવાણ ખાતે ગિરનારી ગ્રુપ – હરિ ઓમ ગ્રુપના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો.

જૂનાગઢ

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, જુનાગઢ તાલુકાના ડેરવાણ ગામે આવેલ શ્રી ગઢ જેસલમેર દરબાર સેવા સમાજ સંચાલિત શિવયોગી આશ્રમ ખાતે આઈ નાથ મહાદેવના સાનિધ્યમાં પરમ ભક્ત શ્રી હુકુમતસિંહબાપુ દ્વારા ગિરનારી ગ્રુપ અને હરિઓમ ગ્રુપ ના નેજા હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડેરવાણ તથા આજુબાજુ ના વિસ્તારમાં રહેતા લોકો દ્વારા 30 બોટલ રક્તનુ દાન કરવામાં આવેલ હતું. અને આ તમામ રક્તની બોટલ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આવતા થેલેસેમીયા પીડીત બાળકો તથા જરૂરિયાતમંદ લોકોને આપવા માટે અર્પણ કરવામાં આવેલ હતી. રક્તદાન કેમ્પ દરમિયાન શ્રી શૈલેષભાઈ દવે, આચાર્યશ્રી દ્વારા રક્ત દાતાઓનું શાબ્દિક સ્વાગત કરીને ગિરનારી ગ્રુપની કાર્ય સુચીને બીરદાવી હતી.

તમામ રક્તદાતાશ્રીઓને ગિરનારી ગૃપ દ્વારા સુંદર મજાની ગિફ્ટ આપવામાં આવેલ હતી. આ કેમ્પ ને સફળ બનાવવા માટે શિવયોગી આશ્રમના સેવકગણ શ્રી ઉદયસિંહ, ભુપતસિંહ, વિક્રમસિંહ, વીરસિંહ, સુભાષભાઈ, વિજયસિંહ સહિત ભાટી પરિવાર તથા ગિરનારી ગ્રુપના સમીરભાઈ દવે, ભાર્ગવભાઈ દેવમુરારી, સમીરભાઈ ઉનડકટ, સુધીરભાઈ રાજા, ભરતભાઈ ભાટીયા, સંદીપભાઈ દોરડા, રોહિતભાઈ પરમાર સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)