શ્રી જગન્નાથ રથયાત્રાને લઈ પાંડેસરા પોલીસે યોજી ખાસ મિટિંગ, કાયદો વ્યવસ્થાની રક્ષણ યોજના પર ચર્ચા

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવનારી શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈને પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે પસાર થાય તે હેતુથી પોલીસે લોકો સાથે સંવાદ સાધ્યો હતો.

આ મિટિંગમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ શ્રી જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીગણ, સ્થાનિક સમાજના આગેવાનો, વિવિધ મંડળોના પ્રતિનિધિગણ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મિટિંગમાં રથયાત્રા દરમિયાન ભીડનિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા, મુસાફરોની સુરક્ષા અને ઇમર્જન્સી રિસ્પોન્સ પ્લાન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તેમજ ભાઈચારો જળવાઈ રહે અને કોઈ પ્રકારની અશાંતિ ન ફેલાય તે માટે સામાજિક સંગઠનોને પણ સહકાર આપવા અનુરોધ કરાયો.

પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ કરાયું કે યાત્રામાં ડीजે, ધ્વનિ પ્રદૂષણ કે કોઈ પણ પ્રકારના અનધિકૃત પ્રવૃત્તિઓ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

આમ, રથયાત્રા પૂર્વે પોલીસ અને સમાજના સામૂહિક સહયોગથી શહેરમાં શાંતિ અને વ્યવસ્થાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરાયો.

📍 અહેવાલ: બ્યુરો રિપોર્ટ