શ્રી સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર, જૂનાગઢ દ્વારા આધ્યાત્મિક શિબિર નું આયોજન…

જૂનાગઢઃ

જૂનાગઢ શ્રી સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર શ્રી રામકૃષ્ણ પરમહંસ માર્ગ તળાવ દરવાજા, જૂનાગઢ ખાતે તારીખ ૨૬ મે નાં રોજ સવારે ૯.૦૦ વાગ્યા થી બપોર નાં ૧.૦૦ વાગ્યા સુધી આધ્યાત્મિક શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે,

 

જેમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ નાં સ્વામિ મેઘજાનંદજી દ્વારા ધ્યાન આધ્યાત્મિક વાર્તાલાપ ,ભજન અને પ્રશ્નોતરી ને આવરી લેવામાં આવશે,

જે કોઈ વ્યક્તિ આમાં ઉપસ્થિત રહેવા માગતી હોય તેમણે સંસ્થાનાં કાર્યાલય માં સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ અને સાંજે ૫.૦૦ થી ૭.૦૦ વચ્ચે નામ નોંધણી કરાવવાની રહેશે તેમ સંસ્થાનાં પ્રમુખશ્રી પરેશ અંતાણી દ્વારા જણાવવામાં આવ્યું છે.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)