સુરતના સચિનમાં વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી.

સુરત :

આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત મહાનગર પાલિકામાં આવેલા સચિન વોર્ડ નં. 30. આવેલી અનાથ આશ્રમ શાળામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ યુથ ફોર ગુજરાતના વડા જીજ્ઞેશ પાટીલ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય અતિથિ PAC રેલ્વે કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ, સુરત શહેર મંત્રી પ્રદીપસિંહ રાજપૂત, વોર્ડ પ્રમુખ દીપકભાઈ ચૌધરી, કાઉન્સિલર પિયુષાબેન પટેલ, રીનાબેન રાજપૂત અને પક્ષના પદાધિકારીઓ, કાર્યકરો અને આચાર્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને “વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ!”પાઠવી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)