સુરતના સણિયા હેમાદના પરિવારના સાત સભ્યો પોઇચા નર્મદા નદીમાં ડૂબ્યા 

  • સુરતના સણિયા હેમાદના પરિવારના સાત સભ્યો પોઇચા નર્મદા નદીમાં ડૂબ્યા

સુરત :

નર્મદા જિલ્લાના પોઇચા ખાતે ફરવા ગયેલા સુરતના સાત લોકો પોઈચા નર્મદા નદીમાં ગુમ થયાની માહિતી મળતા તંત્ર ઘટના સ્થળે દોડતું થયું છે. ફાયર વિભાગની ટુકડીઓ અને સ્થાનિક તરવૈયાઓ ની મદદ થી શોધ શરૂ કરવામાં આવી છે.પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. સુરત થી વિધિ કરવા માટે પોઇચા આવેલા પરિવાર સાથે આ દુર્ઘટના બની છે. 8 વ્યક્તિઓ પૈકી 7 વ્યક્તિ નર્મદા નદીમાં લાપતા થયા છે. 3 બાળકો અને અન્ય 4 મોટા મળી 7 લોકો લાપતા બન્યા છે. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

પોઈચા હોનારતમાં નર્મદા નદીમાં ગરકાવ થયેલા હતભાગી

ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા 45 વર્ષ

આરનવ ભરતભાઈ બલદાણિયા 12 વર્ષ

મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા 15 વર્ષ

વ્રજભાઈ હિંતમભાઈ બલદાણિયા 11 વર્ષ

આર્યન રાજુભાઈ ઝીંઝાળા 7 વર્ષ

ભાર્ગવ અશોકભાઈ હડિયા 15 વર્ષ

ભાવેશ વલ્લભભાઈ હડિયા 15 વર્ષ

તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરત.

 

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)