સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં સરકાર ગ્રુપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે યોજાનાર ગણેશોત્સવ અને નવી સ્થાપિત થયેલ વરદાન ચેરીટેબલ ટ્રસ્ટ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
પાછલા ઘણા સમયથી સરકાર ગ્રુપ સુરતમાં ગણેશ ઉત્સવ સહિત અનેક સામાજિક અને સમાજસેવી કાર્યક્રમોનો સફળતાપૂર્વક આયોજન કરતા રહ્યા છે. સમાજ સેવા માટે સમર્પિત ગ્રુપ હવે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ભવિષ્ય માટે વધુ એક પડકારરૂપ પ્રોજેક્ટ સાથે આગળ આવ્યું છે.
આ વર્ષે ગણેશ ઉત્સવ સાથે ‘વરદાન ચેરીટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી છે, જે અંતર્ગત ગરીબ અને પછાત વર્ગના બાળકોને મફત શિક્ષણ, શૈક્ષણિક સહાય અને અભ્યાસમાં આવતી મુશ્કેલીઓનું નિવારણ પૂરું પાડવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 700 થી 800 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યું છે.
આ પત્રકાર પરિષદ ભેસ્તાન ચાર રસ્તા પાસે, ભગવતીનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાછળના હોલમાં યોજાઈ હતી, જ્યાં સરકાર ગ્રુપના ફાઉન્ડર અને વરદાન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ ગણેશ ઉત્સવના આયોજન તેમજ ટ્રસ્ટના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સરકાર ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે, તેમનું મુખ્ય ધ્યેય ગણેશ ઉત્સવને ભવ્ય બનાવવું સાથે સાથે સમાજસેવા કરીને ગરીબ બાળકોના ભવિષ્ય માટે નવી રોશની પેદા કરવાનો છે.
👉 મુખ્ય મુદ્દા:
✔️ સરકાર ગ્રુપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન
✔️ ગણેશ ઉત્સવ સાથે વરદાન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના
✔️ 700 થી 800 બાળકોનું ટ્રસ્ટમાં રજીસ્ટ્રેશન
✔️ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ સહાય અને માર્ગદર્શન
📝અહેવાલ : બ્યુરો રિપોર્ટ