ગિર સોમનાથ,
વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સૂત્રાપાડા નગરપાલિકાએ “વૂમન ફોર ટ્રી” પ્રોજેક્ટ અને “વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” અભિયાન અંતર્ગત એસ.ટી.પી. પ્લાન્ટ ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના અગ્રણી સર્વે દિલિપભાઈ બારડ, સુરસિંહભાઈ મોરી, નરેશભાઈ કામળીયા, સિધ્ધરાજસિંહ રાઠોડ, કાળાભાઈ બારડ, નિલેશભાઈ મોરી, જેસીંગભાઈ બારડ, કિરીટભાઈ જાની સહિત વન વિભાગના કર્મચારીઓ અને નગરપાલિકા સ્ટાફ સહભાગી રહ્યા હતા.
આ તકે ઉપસ્થિત સર્વે મહામહિમો અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સાથે જ નાગરિકો માટે પર્યાવરણનું જતન અને પ્રદૂષણ નિવારણ માટે પોતાનો યોગદાન આપવાની અપીલ કરવામાં આવી હતી.
નગરપાલિકા તરફથી પણ પર્યાવરણ સુરક્ષાના વિષયમાં લોકોને જાગૃતિ લાવવાની બાબત ઉપર ભાર મુકાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ પર્યાવરણની સંરક્ષણ અને સજીવ પ્રકૃતિ માટે લોકોને જવાબદારી સંભળાવવાનું છે.
વિશ્વભરના પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે આ પ્રકારની પ્રવૃતિઓ આવશ્યક છે તેવું નગરપાલિકા દ્વારા જણાવાયું છે.
અહેવાલ : દિપક જોશી, ગિર સોમનાથ