સ્વદેશી જાગરણ મંચે તુર્કી અને પાકિસ્તાન વચ્ચે વધતી લશ્કરી ભાગીદારી પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં તુર્કી વિરૂદ્ધ આર્થિક, વ્યૂહાત્મક અને ડિપ્લોમેટિક સ્તરે કડક પગલાં લેવાની ભારત સરકારને હાકલ કરી છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તુર્કી – જે નાટો સભ્ય દેશ છે અને ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક હોવાનું દાવો કરે છે – તેણે ભારતમાં વિરોધી અને આતંકવાદ પ્રેરિત રાજકારણ કરનાર પાકિસ્તાન સાથે લશ્કરી સમર્થન દ્વારા ભારતમાં અસ્થિરતા પેદા કરવાની કોશિશ કરી છે.
વિગતવાર માહિતી આપતા મંચે જણાવ્યું કે તુર્કી સરકારે MILGEM ક્લાસ યુદ્ધ જહાજો, બાયરાક્તાર ટીબી2 અને અકિન્સી ડ્રોન્સ, તથા T129 ATAK હેલિકોપ્ટર જેવા એડવાન્સ લશ્કરી સાધનો પાકિસ્તાનને આપ્યા છે. ઉપરાંત, તુર્કીની STM કંપની પાકિસ્તાની સબમરીનને અપગ્રેડ કરી રહી છે અને હેવલસનના માધ્યમથી ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમો પણ પૂરી પાડી રહી છે.
સ્વદેશી જાગરણ મંચે દાવો કર્યો કે તુર્કીનો આ સહયોગ માત્ર લશ્કરી નથી, પરંતુ એ એક વિચારધારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે જે દક્ષિણ એશિયામાં અસથિરતા ફેલાવવાનો ષડયંત્ર છે. તાજેતરમાં 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાની તુર્કીએ ન તો નિંદા કરી હતી, ન તો માનવતાવાદી ભાવના વ્યક્ત કરી હતી.
મંચે દાવો કર્યો કે જ્યારે ફેબ્રુઆરી 2023માં આવેલા વિનાશક ભૂકંપ સમયે ભારતે ‘ઓપરેશન દોસ્ત’ શરૂ કરીને તુર્કીને વિશાળ માનવતાવાદી સહાય આપી હતી, ત્યારે તુર્કીએ ભારત સામે વિરોધી વલણ અપનાવ્યું છે.
મંચે કેન્દ્ર સરકાર સમક્ષ નીચેના તાત્કાલિક પગલાંની ભલામણ કરી છે:
- તુર્કીથી થતી બિન-આવશ્યક આયાતો પર પ્રતિબંધ અને ટેરિફ વધારો
- તુર્કી માટે ભારતની સીધી ફ્લાઇટ્સને સ્થગિત કરવાનો અનુરોધ
- તુર્કી પ્રવાસને નિરુત્સાહિત કરવા માટે સલાહ-સૂચનાઓ
- તુર્કી સાથે રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધોનું પુનર્મૂલ્યાંકન
- તુર્કી માલના બદલે સ્થાનિક વિકલ્પોને પ્રોત્સાહન
સ્વદેશી જાગરણ મંચે ભારતીય નાગરિકોને ઉદાર અપીલ કરતાં જણાવ્યું છે કે “રાષ્ટ્ર પ્રથમ” ના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આપણે એવા દેશો products અને પ્રવાસન સ્થળોનો બહિષ્કાર કરવો જોઈએ, જે ભારતના વિરોધીઓને સશક્ત બનાવે છે.
કુલ મેસેજ એ છે: આત્મનિર્ભર ભારત તરફ મજબૂત પગલાં લ્યો, અને રાષ્ટ્રીય હિત માટે સંકલ્પબદ્ધ રહો.