અંબાજીમા વિજ પુરવઠો બંધ રહેશે મેન્ટેનન્સ કામગીરી ને લઈ તારીખ 06/08/24 ના રોજ અંબાજી મા લાઈટ સવારે 8:00 કલાકે થી સાંજ 5:00 કલાક સુધી બંધ .

અંબાજી

ઉત્તર ગુજરાત વિજ કંપની લીમીટેડ,વર્તુળ કચેરી પાલનપુર દ્વારા જિલ્લા ના યાત્રાધામ અંબાજી ખાતે આવનાર ભાદરવી મહામેળા ની તૈયારીઓ ને લઇ વીજ પુરવઠા ના સમારકામ ને લઈ આવતીકાલે વીજ પુરવઠો બંદ રહેવાની જાહેરાત કરવા મા આવી છે. અલગ અલગ ગામો મા 66/132 કે.વી. સબ સ્ટેશન નુ મેઇન્ટેનન્સ કામ હોવા ના લીધે સબ સ્ટેશન 11 કે.વી. ફિટર દ્વારા વીજ પુરવઠો બંદ રાખવા મા આવશે.ત્યારે આવતીકાલે અંબાજી મા પણ વીજ મેન્ટેનન્સ કામગીરી ને લઇ વીજ બંદ રાખવા મા આવશે.

યાત્રાધામ અંબાજી મા 66 કે.વી. ફિટર દ્વારા મંગળવાર ના રોજ તારીખ 06/08/2024 ના રોજ સબ સ્ટેશનો નુ મેન્ટેનન્સ કામ હોવા ના લીધે વીજ પુરવઠો બંદ રાખવા મા આવશે. અંબાજી અને આજુ બાજુ ના ગામો મા 06/08/2024 ના રોજ સવારે 08:00 થી સાંજે 05:00 કલાક સુધી વીજ પુરવઠો બંદ રાખવા ની જાહેરાત ઉત્તર ગુજરાત વિજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી પાલનપુર દ્વારા કરવા મા આવી છે. મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો ફરી થી ચાલુ કરવા મા આવશે.

અહેવાલ :- ગુજરાત બ્યુરો