અગ્રણી સંસ્થા સીટી કાઉન્સીલ ઓફ જેતપુર દ્વારા સન્માન યોજાયું

જેતપુર

જેતપુરની ખ્યાતનામ સામાજિક સંસ્થા સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા 23 ઓક્ટોબર 2024ના રોજ જનરલ બોર્ડ મિટિંગમાં નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં સંસ્થાના ગૌરવવંતા મેન્ટર અને અગ્રણી ઉધોગપતિ એવા જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના ચેરપર્સ જયંતીભાઈ રામોલિયાની રેલ્વે મંત્રાલય દ્વારા ભાવનગર ડિવિઝનમાં સલાહકાર સમિતિના સભ્ય તરીકે વરણી બદલ અદકેરું સન્માન યોજયું. પરગજુ વ્યક્તિત્વ એવા જેન્તીભાઈ છેલ્લાં ત્રણ દાયકાથી પૂર્વસાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા અને ત્યારબાદ યુવાનેતા ધારાસભ્યશ્રી જયેશભાઇ રાદડિયા સાથે ખભેખભો મિલાવી સામાજિક સેવાઓ અર્જિત કરી રહ્યા છે. જેન્તીભાઈની પોતાની આગવી કુનેહનો લાભ સમાજ સાથે સાડીઉધોગને મળી રહ્યો છે જે કાયમ નોંધનીય છે. આ સાથે સંસ્થાના ફાઉન્ડર મેમ્બર અને અગ્રણી વેપારી એવા શ્રીમાન પ્રવીણભાઈ ગજેરા જેઓની સેવા બિરદાવવાપાત્ર છે, જેઓની હાલ ખેડૂતો માટે સહકારની ભાવના સિદ્ધ કરવા હેતુ ખરીદ-વેચાણ સંઘના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઇ આવેલ છે. જે બદલ સંસ્થા વતી તમામ સભ્યોએ બેઉની સેવાકાર્યો અને પ્રદાર્પણને વાગોળી સન્માનિત કરેલ છે

અહેવાલ :-કરન સોલંકી (જેતપુર)