અરવિંદ કેજરીવાલની ધર્મપત્ની સુનિતા કેજરીવાલ લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે આજે ગુજરાતની મુલાકાતે

અરવિંદ કેજરીવાલની ધર્મપત્ની સુનિતા કેજરીવાલ લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે આજે ગુજરાતની મુલાકાતે

ભાવનગર :

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધર્મ પત્ની સુનિતા કેજરીવાલજી એક દિવસના આજે ગુજરાત પ્રવાસે આવી રહી છે.અરવિંદ કેજરીવાલના ધરપકડ બાદ પહેલી વખત સુનિતા કેજરીવાલ ગુજરાત પધારશે અને ગુજરાતના લોકો સમક્ષ વોટની અપીલ કરશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુનિતા કેજરીવાલજી બોટાદ ખાતે અને ડેડીયાપાડામાં આયોજિત રોડ શોમાં ભાગ લેશે. આજે 2 મે ના રોજ સવારે 10:00 વાગે અમદાવાદ એરપોર્ટ પર સુનિતા કેજરીવાલ આવશે અને ત્યારબાદ બોટાદ ખાતે જવા રવાના થશે.

 

સુનિતા કેજરીવાલ આજે બોટાદ અને ડેડીયાપાડામાં આયોજિત રોડ શોમાં ભાગ લેશે: આપ

 

બોટાદમાં આમ આદમી પાર્ટીના ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા તથા પ્રદેશના નેતાઓ સાથે સવારે 11:30 કલાકે આયોજીત રોડ શોમાં સુનિતા કેજરીવાલ ભાગ લેશે. આ રોડ શો કર્યા બાદ સુનિતા કેજરીવાલ ભરૂચ લોકસભામાં આયોજીત રોડ શોમાં ભાગ લેવા ડેડીયાપાડા ખાતે પહોંચશે. ડેડીયાપાડામાં બપોરેના સમયે આયોજિત રોડ શોમાં સુનિતા કેજરીવાલ ભાગ લેશે. સુનિતા કેજરીવાલની સાથે સાથે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા સહિત પ્રદેશના નેતાઓ આ રોડ શોમાં જોડાશે. ડેડીયાપાડાના રોડશો બાદ સુનિતા કેજરીવાલજી સાંજે દિલ્હી જવા રવાના થશે. સુનિતા કેજરીવાલજના આગમનથી ગુજરાતના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

સંવાદદાતા :- અશ્વિન પાંડે