આંકોલવાડી ખાતે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ની ઊજવણી

આંકોલવાડી, તાલુકા તાલાલા: આંકોલવાડી ખાતે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દરેક કિશોરીને માસિક સ્ત્રાવ સંબંધિત સમસ્યાઓનું સમાધાન અને જરૂરી માર્ગદર્શન પ્રદાન કરવાનો હતો.

કાર્યક્રમમાં ખાસ કરીને તે કિશોરીઓને ધ્યાનમાં રાખવામાં આવ્યું જેઓ હજુ સુધી રજોદર્શનની શરૂઆત નથી કરી હતી. તેમને માસિક સ્ત્રાવ શું છે, શા માટે થાય છે, અને આ સમય દરમિયાન કેવી રીતે કાળજી લેવી જોઈએ તેની જાણકારી આપવામાં આવી. શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારોની સંપૂર્ણ સમજણ પણ આપવામાં આવી હતી.

સેમિનારમાં માસિક ધર્મની સફાઈ અને સાવચેતી, ગેરમાન્યતાઓનું નિરાકરણ, પોષણયુક્ત આહાર, સેનેટરી પેડ્સનો યોગ્ય ઉપયોગ અને સફાઈ સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી માહિતી આપવામાં આવી.

આ આયોજનમાં આયુષ્માન આરોગ્ય મંદિરના તૃષા વ્યાસ, શીતલ કાંકરેચા, રાધિકા વિરોલીયા, મોસમી ચુડાસમા તથા કન્યા શાળાના શિક્ષક નિશાંતભાઈ મહેતા અને મિન્ટુબેન ડેડાણીયાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કિશોરીઓને સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના માસિક સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ