આતરરાષ્ટ્રિય સહકારીતા વર્ષ – અંતર્ગત ન્યુયોર્ક ખાતે ઈવેન્ટમાં ભારતીય પ્રણાલીને છાજે તેવુ દિલીપ સંઘાણીનુ પ્રભાવક સંબોધન.

ગુજરાત

ભારતીય સંસ્કૃતિ અને પ્રણાલીને છાજે તેવુ અર્થપૂર્ણ અને અસરકારક સહકારીતા વિષય ઉપર ન્યુયોર્ક ખાતે યોજાયેલ ઈવેન્ટને દિલીપ સંઘાણીએ સંબોધન કર્યું હતું. તેમના સંબોધનથી ભારતીય સહકારી ચળવળની જુસ્સાદાર સહયોગની પ્રતિતિ મીટીગમાં ભાગ લઈ રહેલા સૌ કોઈને જોવા મળી હતી.

આતરરાષ્ટ્રિય સહકારી વર્ષ ઉજવણી અંતર્ગત ન્યુયોર્ક ખાતે વૈશ્વિક સહકારી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં આઈસીએ – એપીના પ્રમુખ ડો.ચદ્રપાલસિહ યાદવ, નાફેડના ભૂતપૂર્વ પ્રમુખ ડો. બિજેન્દ્રસિહ, નાફેડના પ્રમુખ જેઠાભાઈ ભરવાડ, નાફસ્કોબના એમ.ડી. ડો.ભીમા સુબ્રમણ્યમ્, યુએનસોશ્યલ ઈકોનોમી કાઉન્સિલના પ્રમુખ શ્રીમતિ પૌલા ઓઝડા, મલ્લીકા કુમાર, ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ શ્રીમતિ ગીતાબેન સઘાણી, ઈફકોના જોઈન્ટ જનરલ મેનેજર (સહકારી વિકાસ) સતોષકુમાર શુકલા સહિત વિશ્વના ખુણેખુણેથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનુ સચાલન કુ.સીમેલ એસીમ, મેચ્યુ કોગનેક તરફથી કરવામાં આવેલ હતુ. આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી સમયે જ ન્યુયોર્ક ખાતેના સઘાણીનું પ્રભાવશાળી સંબોધન ભારતીય સહકારીતાની ક્ષમતાની પ્રતીતિ આપતું બની રહ્યું હતું.

અહેવાલ :- ગુજરાત બ્યુરો