ઉધના ત્રણ રસ્તા પાસે આવેલ ટાઇલ્સના શો-રૂમમાં ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ

સુરતઃ

સુરત શહેરના ઉધના ત્રણ રસ્તા પાસે આવેલ ટાઇલ્સના શો-રૂમમાં ભીષણ આગ લાગી હતી. આગને પગલે લાખો રૂપિયાનો માલ બળીને ખાક થઈ ગયું હતું. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ તાત્કાલિક સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની નીતિનભાઈ શાહ હાલ ઉધના સાઉથ ઝોન ઓફિસની સામે આવેલ ચંદનવન સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તે ઉધના ત્રણ રસ્તા પર ગુજરાત પાઇપ એન્ડ સેનેટરી નામથી શોરૂમ ચલાવે છે અને ટાઇલ્સ તેમજ પાઇપના હોલસેલનો વેપાર કરે છે. શુક્રવારે વહેલી સવારે શોરૂમમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી હતી. આગને પગલે 5 ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં લાખો રૂપિયાના માલ-સામાન સહિત જરૂરી દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં પાછળ મૂકેલા કમ્પ્યુટરના વાયરમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)