ઉનામાં કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભાજપના કાર્યકરો દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો પર મશાલ રેલી યોજી કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી.

ગીર સોમનાથ

ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ મોરચા દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભાજપના કાર્યકરો દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો પર મશાલ રેલી યોજી કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજી શહિદોને શ્રદ્ધાંજલિ અને વિરાંજલી પાઠવીને તેમજ નિવૃત્ત સૈનિકોના સન્માન કરીને કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ઉના સરદાર પટેલ ભવન ખાતે થી મશાલ રેલીનો પ્રારંભ થયો હતો અને ત્રિકોણ બાગ સહિતના મુખ્ય માર્ગો વિર જવાનો અમર રહો, ભારત માતાની જયના નારા સાથે મશાલ રેલી યોજાઈ હતી.

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)