રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેરવદર ગામમાં યુવતીની છેડતીના મામલે આખું ગામ ભયભીત થતું બનાવ સામે આવ્યું છે. ઘટનામાં ચાર લોકોને તલવાર વડે ઘાયલ કરી દેવાયા છે, જેને લઈને પ્રજાજનમાં ચિંતા વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મેરવદર ગામે યુવતી સાથે છેડતીના મુદ્દે થયેલા વિવાદ બાદ તલવારથી હુમલો થયો હતો. ઈજાગ્રસ્તોનું નામ પ્રમોદભાઈ મોહનભાઈ ઉમરેટીયા (ઉમર 53), પ્રિયાંશી પ્રમોદભાઈ ઉમરેટીયા (ઉમર 15), આસ્થા અશોકભાઈ ઉમરેટીયા (ઉમર 15) અને અશોકભાઈ બાબુભાઈ ઉમરેટીયા (ઉમર 45) છે.
ઈજાગ્રસ્ત પ્રમોદભાઈના જણાવ્યા મુજબ, મેરવદર ગામના જ યુવક પ્રવીણભાઈ કલ્યાણભાઈ ધડુક અને તેમના ભાઈ ગોપાલભાઈ ધડુકે છોકરીની છેડતી બાબતે ઠપકો આપતા રોષે ભરાઈ તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં તેમના માથા તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ મેરવદર ગામના સરપંચ મનસુખભાઈ કથીરિયા તેમજ અન્ય આગેવાનોને થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે ઉપલબ્ધા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હાલમાં પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને સ્થળ પર પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ગામમાં ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.