જૂનાગઢ, તા. 30 મે:
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત 31 મેના રોજ જૂનાગઢ અને કેશોદ શહેરમાં મોડકડ્રિલ (મોકડ્રિલ) યોજાશે. સાંજે 5:30 વાગ્યે શરૂ થનાર આ ડ્રિલનો મુખ્ય હેતુ નાગરિક સુરક્ષા માટે તંત્ર અને નાગરિકોની તૈયારીની ચકાસણી કરવો છે.
મોકડ્રિલ દરમિયાન એરસ્ટ્રાઇક જેવા કટોકટીના પરિસ્થિતિઓ માટેનો સિનારિયો અમલમાં મુકાશે. જિલ્લા વહીવટી તંત્રએ રાત્રે 8:30 થી 9:00 સુધી તમામ નાગરિકોને સ્વેચ્છાએ પોતાના ઘરોની લાઇટ્સ અને વીજ ઉપકરણો બંધ રાખવાની અપીલ કરી છે, તેમજ રસ્તા પરથી પસાર થતા વાહનોને પણ લાઈટ બંધ કરી સલામત રીતે રસ્તાની સાઇડમાં પાર્ક કરવાના અનુરોધ કર્યો છે.
બ્લેકઆઉટ દરમિયાન હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓ યથાવત ચાલુ રહેશે.
આ મકસદપૂર્વકના મોકડ્રિલ દ્વારા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, ફાયર સેફ્ટી, વોલન્ટિયર્સ તેમજ અન્ય ટીમોની કામગીરીની જાણવી લેવાશે અને તાત્કાલિક પગલાં લેવાની તૈયારીઓ ચકાસવામાં આવશે.
જિલ્લા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, આવાં અભ્યાસોના મુખ્ય હેતુ નાગરિકોમાં સતર્કતા વધારવી અને કટોકટીના સમયમાં સ્વ-સહાય માટેની તૈયારી ઉભી કરવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ