સોમનાથ જિલ્લાના સેવા સદનમાં આજે કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેનો મુખ્ય હેતુ નાગરિકોની વ્યક્તિગત અને સામૂહિક અર્જીઓ, ફરિયાદો તથા સુચનોને સીધા વહીવટી તંત્ર સુધી પહોંચાડવાનો હતો.
આ કાર્યક્રમમાં નાગરિકોએ કલેક્ટર સમક્ષ અનેક મહત્વના પ્રશ્નો રજૂ કર્યા જેમ કે:
બાંધકામ શરતોના ભંગ અંગે
સરકારી જમીન પર દબાણ દૂર કરવા બાબત
સી.સી. રોડ પર થયેલા દબાણો દૂર કરવા
નવી ખેતીવાડી વીજ જોડાણ
સંપાદિત જમીનના વળતર
નેશનલ હાઈવેની કપાત જમીનના રસ્તા અને પાણી નિકાલના પ્રશ્નો
ભૂગર્ભ ગટરની ગંદકી નિકાલ બાબત
કલેક્ટરે તમામ અરજીકર્તાઓ સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ કર્યો અને રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક અને પારદર્શક કાર્યવાહી કરવા સૂચના આપી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ