જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા નાગરિકલક્ષી પ્રશ્નોનું નિરાકરણ નિયત સમયમર્યાદામાં લાવવા કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.
📌 બેઠકમાં ઉઠાવેલા મુદ્દાઓ:
ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા સૂત્રાપાડા ખાતે બ્રેકવોટર કામ, ટેટ્રાપોડ અને બ્લોકની સાઈઝ અંગે પ્રશ્નો.
ધારાસભ્ય વિમલભાઈ ચૂડાસમા દ્વારા પ્રભાસપાટણ પી.જી.વી.સી.એલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો તેમજ એ.જી. ફીડર અંગે મુદ્દા.
ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા ગીરગઢડાના આંકોલાલીમાં લીઝ સંબંધિત પ્રશ્નો.
🌟 કલેક્ટરના સૂચનો:
પૂર્વેના પડતર પ્રશ્નો સહિત નવા રજૂ થયેલા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જવાબ મેળવવો.
જિલ્લા ના તમામ અમલીકરણ વિભાગો દ્વારા જનકલ્યાણકારી યોજનાઓની પારદર્શી અમલવારી સુનિશ્ચિત કરવી.
નાગરિક અધિકાર પત્રોના સમયસર નિકાલ અને સરકારી લેણાની વસૂલાતની ખાતરી.
👥 ઉપસ્થિત મહાનુભાવ:
જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર
જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર
ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી
સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર. પરમાર
તાલુકા વિકાસ અધિકારીઓ, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, ખેતીવાડી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ
📌 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ