કાળીયા ઠાકોરની સોનાની દ્વારકા: ભગવાન દ્વારકાધીશના મુખ્ય દ્વાર હવે 24 કેરેટ શુદ્ધ સોનાથી શણગારાયા

દ્વારકા શહેરમાં ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારા શ્રદ્ધા અને પ્રેમથી વિવિધ સોનાના, ચાંદીના અને રત્નોના આભૂષણો ભગવાનના ચરણોમાં અર્પણ કરવા માટે લાવાતા રહે છે. તાજેતરમાં ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરના મુખ્ય દ્વારને (દરવાજા) 24 કેરેટ શુદ્ધ સોનાથી શણગારવામાં આવ્યો છે.

આ ભવ્ય કાર્ય ગાંધીનગરના જાણીતા ભક્ત શ્રી રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી દ્વારા કરાવવામાં આવ્યું હતું. એમના માતાશ્રીની ઈચ્છા હતી કે ભગવાન દ્વારકાધીશના મુખ્ય દ્વાર ઉપર 24 કેરેટ સોનાનું વર્ક કરાવવું, જે ઈચ્છા તેમના પુત્રે પૂર્ણ કરી.

આ મુખ્ય દ્વાર હવે એક નવો શોભા વધારતો ભવ્ય દ્રશ્યરૂપ બની ગયો છે અને દર્શન માટે આવતા ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

અહેવાલ: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા.