કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાનો મુખ્યમંત્રીને પત્ર – કૃષિમંત્રી અને ખેતી નિયામક વિરુદ્ધ ગંભીર આક્ષેપ

જૂનાગઢ: ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને એક ગંભીર પત્ર લખીને કૃષિમંત્રી તથા રાજ્યના ખેતી નિયામક વિરુદ્ધ ષડ્યંત્ર અને સરકારને બદનામ કરવાની કાર્યવાહી ચલાવવાના આક્ષેપ કર્યા છે. પત્રમાં જણાવ્યું છે કે AGR-2, 3, 4, NFSM અને NMEO જેવી ખેડૂતોની સહાય યોજનાઓમાં ઇરાદાપૂર્વક વિલંબ કરીને ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે.

પાલભાઈએ કહ્યું કે, ખેતર માટેની કીટ ચોમાસા શરૂ થાય એ પહેલાં આપવામાં આવવી જોઇએ, પરંતુ હાલ કાપણીની ઢોરે આવી ને પણ કીટ આપવાનો સમય ખેંચી રાજકીય ષડ્યંત્ર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કૃષિમંત્રી દ્વારા વિધાનસભામાં કરાયેલા નિવેદનો અને ખેતી નિયામકના નિર્ણયો સરકારની નકારાત્મક છબી ઉભી કરવા માટે છે.

આ સિવાય, વીજ પુરવઠા અને ખાતર મુદ્દે પણ અકાળ નિર્ણય લેવાની ગંભીર ટકોર કરતા પાલભાઈએ કૃષિમંત્રીનું તાત્કાલિક રાજીનામું લેવાની તેમજ ખેતી નિયામકને પદ પરથી દૂર કરીને તેમના પર ષડ્યંત્રના ગુનામાં કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પત્રમાં એવા પ્રશ્ન પણ ઉઠાવાયા છે કે જ્યારે એક સામાન્ય ખેડૂતો અથવા મૌખિક ટીકા કરનાર સોશિયલ મીડિયા યુઝર સામે પગલાં લેવામાં આવે છે, ત્યારે આવા ઉચ્ચ હોદ્દાવાળાઓ સામે કેમ કાર્યવાહી થતી નથી?

પાલભાઈ આંબલિયાએ તેમના પત્રનો અંત એટલી માંગ સાથે કર્યો છે કે જો જેલમાં મોકલવું શક્ય ન હોય, તો કૃષિમંત્રીનું રાજીનામું અને ખેતી નિયામકને બરતરફ કરવો – જેથી ખેડૂતો અને સરકારે વાસ્તવિક ન્યાય અને વિશ્વાસ મેળવે.

અહેવાલ: જગદીશ یادव, જૂનાગઢ