કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માનો રાજ્યના ખેડૂત જોગ મહત્વપૂર્ણ સંદેશ.

રાજ્યના ખેડૂત મિત્રો માટે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે.

➡️ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી લંબાઈ
મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા તા. 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

  • મગફળી માટે અત્યાર સુધીમાં 8.79 લાખથી વધુ ખેડૂતો નોંધાયા.

  • સોયાબીન માટે 66,000થી વધુ,

  • અડદ માટે 5,000થી વધુ,

  • તેમજ 1,100થી વધુ ખેડૂતો નોંધાયા છે.

➡️ સેટેલાઈટ ઈમેજ આધારિત ચકાસણી

  • નોંધણીમાં દર્શાવેલા સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે થઇ રહ્યો છે.

  • આ પ્રક્રિયામાં 10 ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનું વાવેતર જોવા મળ્યું નથી.

  • આવા ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવી છે.

➡️ ખેડૂતોએ શું કરવું?
ડૉ. અંજુ શર્માએ સ્પષ્ટ કર્યું છે કે SMS મળ્યો હોય તેવા ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.

  • ખેડૂતોએ વહેલી તકે પોતાના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરી પાકનું વેરીફીકેશન કરાવવું.

  • ખેડૂતો પોતાના ગામના સર્વેયર મારફત પણ ડિજિટલ ક્રોપ સર્વે કરાવી શકે છે.

  • ખેડૂતોએ Digital Crop Survey – Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને પોતે પણ સર્વે નંબરનો ડિજિટલ સર્વે કરી શકશે.

➡️ ખેડૂત માટે ખાસ સુવિધા

  • બાઈસેગની વંદે ગુજરાત ચેનલ મારફત ખેડૂતોને એપ્લિકેશનથી ડિજિટલ સર્વે કરવાની તાલીમ આપવામાં આવશે.

  • ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે મગફળીના પાકનો એક જીઓ-ટેગ્ડ ફોટો લઈને આધાર તરીકે રાખવો.

➡️ ખેડૂતો માટે ખાતરી
ડૉ. અંજુ શર્માએ જણાવ્યું કે,

  • “જો ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું જ વાવેતર કર્યું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી.”

  • આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

📌 જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીએ પણ આ બાબતે ખેડૂતોને ખાતરી આપી છે કે તમામ ખરાઈ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખરીદી કરવામાં આવશે.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ