જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેવદ્રા-એકલેરા રોડ પર અદભૂત દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં ચાલુ વરસાદમાં રસ્તા પર ડામર કોટિંગ કરવામાં આવી રહ્યું હતું. સતત ત્રણ વર્ષ સુધી ગ્રામજનોની રજૂઆતો છતાં અવગણના કરનાર અધિકારીઓએ આખરે રોડના વિકાસનું કામ મંજૂર કર્યું હતું, પરંતુ કામગીરીની ગુણવત્તા હવે પ્રશ્નચિહ્નના ઘેરામાં આવી ગઈ છે.
કેશોદ તાલુકાના એકલેરા ગામથી કેવદ્રા ગામ સુધીનો માત્ર બે કિલોમીટરનો રસ્તો છેલ્લા ઘણાં વર્ષોથી ખરાબ હાલતમાં હતો. ગામના લોકો લાંબા સમયથી ફરિયાદો કરતા હતા કે માત્ર બે કિલોમીટરના રસ્તામાંથી પસાર થવામાં 30 મિનિટ જેટલો સમય લાગી જતો હતો, જ્યારે કેવદ્રાથી કેશોદ પહોંચતા ફક્ત 10 મિનિટનો સમય લાગતો હતો.
અંતે ત્રણ વર્ષ પછી ગ્રામજનોના સતત પ્રયાસોને પરિણામે રોડ મંજૂર થયો અને તેનું કામ પણ તાજેતરમાં પૂર્ણ થયું. પરંતુ સ્થળ પર ગ્રામજનોને ભારે નિરાશા તે સમયે થઈ જ્યારે પ્રથમ વરસાદમાં જ રોડ તૂટી પડવાના સંકેતો જોવા મળ્યા.
તમામ સમસ્યાઓ વચ્ચે ગત રોજ અકસ્માતે ચાલુ વરસાદમાં જ કેવદ્રા-એકલેરા રોડ પર ફરીથી ડામર કોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ડામર અને પાણી હંમેશા વેર હોય છે અને વરસાદમાં કરાયેલું ડામર ટકી શકતું નથી, તે Gramjano એ સતત અધિકારીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર અને સરપંચ દ્વારા ગ્રામજનોની જાણ કર્યા વિના તેમજ અધિકૃત અધિકારીઓને જાણ કર્યા વગર ચાલુ વરસાદમાં ઓચિંતી રીતે કામ શરૂ કરાયું હતું. ઘટનાની જાણ થતા ગ્રામજનો તેમજ જવાબદાર તંત્રે તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું.
આ ઘટનાએ ફરી એક વખત ગામના વિકાસ કામની ગુણવત્તા, કામગીરીની ઇમાનદારી અને જવાબદારી પર ગંભીર પ્રશ્ન ઊભા કર્યા છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે તેઓ કામગીરી સામે કડક વલણ લેનાર છે.
અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ