કેશોદના પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે સમુહ રુદ્રી કાર્યક્રમ યોજાયો.

કેશોદ

કેશોદ શહેરમાં ભાદરવી અમાસ સંયોગથી સોમવારે હોય જુદાં જુદાં વિસ્તારમાં શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. કેશોદના અગતરાય રોડ પર આવેલ યોગેશ્ર્વરધામ સોસાયટીમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ રુદ્રાભિષેક સહિત સામુહિક રુદ્રી પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના યોગેશ્ર્વરધામ સોસાયટીમાં આવેલ પંચેશ્વર મહાદેવ મંદિર આસપાસના વિસ્તારના રહીશોનુ આસ્થાનું કેન્દ્ર છે. કેશોદના પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે. કેશોદના શિવભક્તો દાતાઓ દ્વારા ઉદારતાથી તન મન ધનથી સાથ સહકાર આપવામાં આવે છે અને આયોજકો દ્વારા મંદિરનાં વિકાસ કામોમાં ખર્ચ કરવામાં આવે છે.

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)