કેશોદમાં ખનીજ માફિયાઓ પર સરકારના ચાર હાથ?

કરોડો રૂપિયાની ખનીજ ચોરી છતાં તંત્રનો મૌન પ્રહાર

જૂનાગઢ, 3 જૂન, 2025 –
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ખનીજ ચોરીનો કિસ્સો બગડી રહ્યો છે. હાલમાં અનેક વખત આ મામલે ફરિયાદો હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થવાના કારણે ખનિજ માફિયાઓ બેફામ બની રહ્યા છે.

ખાનખનિજ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મીલી ભગત અને નિષ્ક્રિયતાના કારણે કરોડો રૂપિયાની ખનિજ ચોરી અવારનવાર થઈ રહી છે. ખનિજ ચોરી અને ખનિજ તસ્કરી પર સરકારના નિયંત્રણ ન હોવાના કારણે ખનીજ માફિયાઓને સંપૂર્ણપણે ખુલ્લું મેદાન મળ્યું છે.

વિશેષ રૂપે કેશોદ તાલુકાના વિસ્તારમાં ચાલતી ખનીજ ચોરી અંગે મીડિયા દ્વારા અનેક વખત અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમ છતાં અધિકારીઓને જાણ કરવા છતાં તંત્ર મૌન સાધી બેઠું છે. આ મામલે ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓ માફિયાઓ સાથે સાંકળમાં હોવાનું સંદેહ પણ વ્યક્ત કરવામાં આવે છે.

ખનિજ માફિયાઓએ તો એમ કહી દીધું છે કે “અમે ભાજપ સાથે છીએ, અમારું કોઈ કશું કરી નહીં શકે.” આ પ્રકારની ધમકી અને સરકાર પ્રત્યેનો ભયમુક્ત વ્યવહાર જોઈને પ્રશ્ન ઊઠે છે કે શું ખનિજ ચોરી પર ક્યારેક ગંભીર કાર્યવાહી થશે?

હવે જો તંત્રમાં કોઈ જાગૃતિ નહીં આવે અને ભ્રષ્ટાચારના માહોલને કાબૂમાં નહીં લાવવામાં આવે તો ખનીજ ખોરી વધુ જ પ્રચંડ સ્વરૂપ લઈ શકે છે.

આ અહેવાલ બાદ હવે જો તંત્ર સક્રિય બનશે કે ફરી મૌન ધારી કોઈ એકબીજાને જવાબદારી ઠેરવવાનું શરૂ કરશે તે તો આવનારો સમય જ બતાવશે.

અહેવાલ : રાવલિયા મધુ, જૂનાગઢ